Category: અનુભવો


અખંડ આનંદ ફેબ્રુઆરી ૨૦૧૨

“હું જે કંઈ પણ છું મારા પરિવારના લીધે છું”

જીવનને વિકાસલક્ષી બનાવવામાં પરિવારનો ફાળો મહત્વનો  છે.

BY – વાગ્ભિ પાઠક પરમાર

મારા માટે પરિવારનું સૌથી મહત્વ અંગ એટલે  માતા-પિતા, મારા પતિ અને મારી દીકરી. બસ, આ મારો પરિવાર. હું બાળપણથી જ વિભક્ત કુટુંબમાં રહેલી છું પણ એવું નથી કે સંયુક્ત કુટુંબ હોય તેને જ પરિવાર કહેવાય. બરોબર ને! કુટુંબમાં સભ્યો ગમ્મે તેટલા હોય પણ સાચા માર્ગદર્શક અને લાગણીશીલ સભ્યો થી જ પરિવાર બને…

મારા લગ્ન થયા તે પહેલા મેં  જુદા-જુદા ઘણા ક્ષેત્રોમાં અભ્યાસ  કર્યો. તે પછી ફેશન ડીઝાઈનીંગ  હોય કે ભારતનાટ્યમ શાસ્ત્રીય નૃત્ય કે પછી બ્યુટી પાર્લરનો કોર્ષ.. બસ, પહેલેથી હું વર્સટાઈલ પર્સનાલીટી રહી છું.  મારા પિતાએ મારી કારકિર્દી ઘડવામાં ખુબ મદદ કરી છે. તે હું કેમ ભૂલી શકું?  હું ભણતી ત્યારથી અલગ-અલગ ઈતરપ્રવૃતિઓમાં રસ ધરાવતી. મારા પપ્પા એ મને ખુબ પ્રોત્સાહન આપ્યું. પણ માતાને અલગ પ્રકારનો ડર! સાસરે શું કરશે? બસ, દરેક માતાની એક જ કહાની.. પિતા મને કારકિર્દીમાં આગળ આધારે અને માતા ઘરકામમાં..

લગભગ ૭ વર્ષ પહેલા મારી મરજીથી મારા પ્રેમલગ્ન થયા. માતા-પિતાને થોડી તકલીફ થઇ પણ સમય જતા બધુ સમુસુતરું ઉતારી ગયું.  તેમ છતાં માતા-પિતા બન્નેને ચિંતા… પિતાને થયું કે હવે કારકિર્દી પૂરી અને માતાને એ વાત પરેશાન કરે કે એકલા રહી અને કેમ બધું સાંભળી શકશે. ઘર માં હું અને મારા  પતિ. મારા પતિની ત્યારે બહુ આવક હતી નહિ એટલે ના છૂટકે  મારે કારકિર્દી પર ધ્યાન આપવું જ રહ્યું. થોડા દિવસો ખુબ કામ શોધ્યું.  પણ નિરાશા હાથ લાગી, ત્યાં એક દિવસ મારા પપ્પા એ રેડિયોમાં એક ઉદઘોષણા સાંભળી. અને એ હતી રેડિયામાં ઉદઘોષક થવાની ઉદઘોષણા.. બસ પછી શું? જોતજોતામાં હું ઉદઘોષક પણ બની ગઈ પરંતુ પ્રશ્ન પછી ઉભો થયો ઘર અને નોકરી બંને એકલા હાથે સંભાળવાનું. thank  god !

મારા પતિ મહાશય બધું જ manage  કરી લેતા. રસોઈ હોય  કે ઘર નું કામ દરેક કામમાં તેમણે મને સહકાર આપ્યો. તેમના સહકારથી હું નિઃસંકોચ ડ્યુટી કરી   શક્તી અને ઘરે આવી ને ફરી બાકીના કામમાં લાગી જતી. ૨ વર્ષ પહેલા મારે દીકરી આવી.. મને  મારા માતા-પિતા નો તો સહકાર મળતો જ પણ મારા પતિ પણ મારું ખુબ ધ્યાન રાખતા. તેમાં ફરી પાછું થયું કે બંને કામો તો કરવાના જ છે અને એક વધુ જવાબદારી મારા શિરે આવી ગઈ  છે. પણ મને મારા પરિવાર પર પૂરો વિશ્વાસ હતો એટલે કોઈ ચિંતા થઈ જ નહિ. સંજોગ અને સમય આપણી favor માં  હોય અને તેમાં પણ પરિવારનો આવો સહકાર હોય પછી શું ચિંતા? મારી દીકરી ત્રણ મહિનાની હતી ત્યારથી  હું મારા પાપા-મમ્મી ને ત્યાં મુકીને નોકરી એ જતી અને હજી જવું પડે છે.. આજના દિવસે પણ મારી દીકરી તેના નાના-નાની ને ત્યાં વ્હાલથી ઉછરે છે અને મારા મમ્મી પપ્પા ની ખુબ હેવાઈ છે . મને બધા આશ્ચર્યથી પૂછતાં કે આટલી નાની બેબી  ૭-૮ કલાક રહી શકે? અને હું ગર્વથી મારી દીકરીના વખાણ કરતી. મારે કોઈ દિવસ રાત જાગવી નથી પડી… આજની તારીખે મારા ઘરે કામ કરવા મેં કોઈ રાખ્યું નથી. બધું જ અમે જાતે કરીએ છીએ અને મારા મમ્મી-પપ્પાને આ વાતનો ગર્વ છે.

મારા પરિવારના ચારેય સ્તંભો ખુબ જ અલગ  છે પણ મારા માટે એટલા જ વિશિષ્ટ છે. આ ચારેયમાંથી એક ના પણ સહકાર વગર મારું જીવન અને જીવનયાત્રા આટલા  સુંદર અને સરળ ના બન્યા હોત. હું કારકિર્દી અને ઘરકામ બંનેમાં સફળ ના થઈ શકી હોત. મારા જીવનના આ ૭ વર્ષમાં મે જેટલો સંઘર્ષ કર્યો એમાં મારા પરિવારે મને ખુબ જ સાથ આપ્યો છે. અને આજે હું ગર્વ થી કહી શકુ છુ કે ” હું જે કઈ પણ છું મારા પરિવારના લીધે છું”. દરેક સ્ત્રીને જો આવો પરિવારનો સહકાર મળે તો તે કોઈપણ કામ મજબુરીમાં નહિ હોશે હોશે કરે. અને ઘરકામ હોય કે કારકિર્દી કે પછી ગમે તેવી જવાબદારીમાં પોતાના પ્રાણ પૂરી દે. દરેક વ્યક્તિના જીવનને  વિકાસલક્ષી અને ખુબસુરત બનાવવા  માટે પરિવાર ખુબ અગત્યનો ભાગ ભજવે છે. BY – વાગ્ભિ પાઠક પરમાર

 

ઘણી વખત  જે વિચાર્યું હોય  તેનાથી  કંઈક અલગ નહિ  પણ અદભુત  થાય,  તો  જીવન નો  માર્ગ જ  બદલાય  જાય  ખરું  ને  !  હંમેશા આપણે  સાંભળ્યું  છે  કે  બાયોગ્રાફી  કોઈ  પ્રખ્યાત  વ્યક્તિ  ઉપર  જ  લખાય  છે.  પણ  નસીબ  જોગે મને  આ ભેટ  મળી છે અને  મારા   ઉપર  લખાયેલી  આ  ડાયરી      ફક્ત  મારા માટે જ પ્રકાશિત થઈ. બસ, આ યાદગાર  અનુભવ મારા  માટે મહત્વનો  જ નહિ પણ જીવનમાં કઠીન સમયે હંમેશા  મારું  માર્ગદર્શન  બની  રહે  છે.

હંમેશા  લેખક  કે  કોઈ  રચયિતા  પોતાની  કૃતિ પ્રકાશિત  કરે,  પણ  આ  અજાણી વ્યક્તિ એ માત્ર મારું અવલોકન કરી અને તેમના  મનમાં  સુજ્યું  એટલે  લખ્યું  એવું  જણાવે  છે.  આ  ભેટ મને  આપી એક અજાણી વ્યક્તિએ . ઈ.સ.   ૨૦૦૦માં  હું  એક કોમ્પ્યુટર  ક્લાસમાં  જોડાઈ . હું  પાસ થઇ  અને પ્રમાણપત્ર  લેવા  ગઈ  ત્યારે  મારી  ફેકલ્ટી  અને  તેમની  મિત્રએ મને  આ ડાયરી  ભેટ  રૂપે  આપી ત્યારે મને ખબર પડી કે મારા વિશે  કોઈએ લખ્યું છે અને તે પણ આ  આ કોમ્પ્યુટર  ક્લાસ  માંથી  જ છે. પણ  આ ડાયરી  મારા  જીવનમાં  આજ સુધી   પ્રાણ પુરતી રહી  છે.  જીવનમાં   સંઘર્ષોનો  સામનો  કરવામાં,  મને આત્મવિશ્વાસ    આપવામાં  અને નિર્ણયો  લેવામા  મારી જ  છબી   દર્શાવતી  આ  ડાયરી એ   મને  દરેક  વખતે  નવજીવન  આપ્યું  છે.

આ ડાયરી નું શીર્ષક પણ એવું જ છે.  ‘ડીસ્કવર યોરસેલ્ફ’  આ ડાયરી માં લખેલી વાતોને  એટલી સુંદર રીતે પ્રસ્તુત  કરી  છે  કે હું પણ મારી  ખૂબીઓ    અને  ખામીઓને કદાચ  આટલા  ઊંડાણથી  જાણતી  ન હતી.   ૭૯ આકડા સાથે   મારો  ગાઢ સંબંધ,  મારી  આંખોના   વધુ   નંબરને અલગ રીતે દર્શાવવાની  દ્રષ્ટિ ,  મારો  સ્વભાવ ,  મેચ્યોરીટી,  કોમનસેન્સ, નિર્ણયશક્તિ ,  મારું વ્યક્તિત્વ,   મારા નામની વિશિષ્ટતા , મારા સારા નરસા  બધા  જ પાસાઓ આવરી લેતી  બાબતો,  આ બધું જ વાચ્યાં પછી  મેં  મારા  જીવનમાં  ડોકિયું કર્યાનો  પહેલી વખત  અનુભવ કર્યો.    ઘણી વખત આપણી  આસપાસ    રહેતી  વ્યક્તિ  આપણું  ઊંડાણપૂર્વક  ઓબ્ઝર્વેશન  કરતી હોય છે.  આપણાં કરતા   વધુ    આપણને  જાણતી  અને સમજતી  હોય છે. આ ડાયરી ની વધુ એક ખાસિયત એ છે કે તે અંગ્રેજીમાં  લખાઈ  હોવાથી  પાછળના પેઈજમાં  અમુક શબ્દોનો  યોગ્ય  અર્થ  દર્શાવ્યો છે.

આજે  ઘણા  વર્ષો    વીતી   ગયા.     અને હું એક વખત પણ એ વ્યક્તિનો  સંપર્ક  કરી શકી નથી.  પણ મારી  પાસે  સ્વયંને ઓળખવાનો  એક  માર્ગ મળી ગયો.  જીવનભર સાથ  આપનાર   એક મિત્ર કે માર્ગદર્શક  મળી  ગયું હોય તેવો જ અનુભવ કરું છું.   આ ડાયરીને  મારા જીવનની સૌથી   યાદગાર  અને અમુલ્ય  ભેટ  કહું  તો કઈ ખોટું  નથી.

 

ઓહ ગોડ ! હવે તો  હદ જ થઇ ગઈ…

શનિવારે રાત્રે મોડી રાત સુધી (લગભગ રાતે ૩ વાગ્યા સુધી) ભજનોનો કાર્યક્રમ મોટા ઘોંઘાટ  સાથે ચાલતો રહ્યો.. સવારે ડયુટી ના કારણે ૪ વાગ્યે ઊઠવાનું હતું. આખી રાત પડખા ઘસ્યા..આમાં સુવું પણ કેમ? મનમાં ગુસ્સા સાથે કેટલાય પ્રશ્નો ઉઠ્યા…

નવરાત્રિના સમયમાં વધીને ૧૨ વાગ્યા સુધી લાઉડ સ્પીકરો ચાલતા હોય છે.. ત્યારબાદ કોઈપણ સરકાર  પાસેથી પ્રજા એવી અપેક્ષા રાખે છે કે મોટા સ્પીકરોનો ઘોંઘાટ નાથવા નિયમો કે અન્ય કોઈ યોજનાઓ  હેઠળ દંડ કે મનાઈ કરવામાં આવે..  થોડા ઘણા અંશે લોકો આ વાતને માન્ય પણ રાખે છે.. તેમ છતાં અંગત પ્રસંગોમાં આ જ લોકો મોટા સ્પીકરો મૂકી ઘોંઘાટો સર્જે છે. ત્યારે વિચાર નથી આવતો કે અન્યોને કેટલી તકલીફ પડશે? કોઈ પણ સારા કે માઠા પ્રસંગોમાં અન્યોને તકલીફ પડે એવું શું કામ કરવું જોઈએ? મહેમાનોને ખુબ સરસ રીતે સાચવીએ પણ પડોશ કે અન્ય લોકોને તકલીફ પડે એ શું કામનું? … જાણતાં- અજાણતા ભૂલ થઇ  જાય  પણ વારંવાર આવું થવું ભૂલ તો ન જ કહેવાય …માત્ર ઘોંઘાટ જ નથી પણ હવે તો ઘર પાસે રસ્તાઓ રોકી ને મંડપો પણ બાંધવામાં આવે છે… એટલે શેરી ગલીઓમાંથી પસાર થવું લોઢાનાં ચણા ચાવવા જેવું કપરું  લાગે..

આવી યોજનાઓ કે નિયમોને ઘડવા કે અમલ કરવા માત્ર સરકારની જ જવાબદારી નથી… આપણી પણ નૈતિક ફરજ બને છે. આપણે આ બાબતે જાગૃત કે શિષ્ટતા દાખવતા નથી તો પછી  સરકારની યોજનાઓ અને નિયમોને વખોડવાનો પણ આપણને કોઈ અધિકાર નથી..

Follow

Get every new post delivered to your Inbox.

Join 66 other followers