Latest Entries »

જીવનનો પથ હંમેશાં સીધો હોતો નથી. ઘણા વળાંકો પછી  રસ્તાતો જડે  છે, ઢોળાવો હોય છે. માર્ગોમાં સ્પીડ બ્રેકર અને ખાડા-ખાબડા ની જેમ જીવનમાં પણ કંઈક આવું જ બને છે. પરંતુ કુદરતના સર્જનમાં માર્ગો હમેશા સીધા જ જોવા મળે છે.. ત્યાં કઈ જ વળાંક આવતા નથી. સ્વયમ સુર્યનું  અસ્તિત્વ કે ચંદ્રની  ચાંદનીને નિહાળતા આ બાબતનો અભાસ થશે.. આપણે પણ કુદરતનું એક સર્જન જ તો છીએ.  પરંતુ આપણાં ચંચળ મનની અંદર વ્યથિત એવી પ્રબળ  ઇચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ  કે દરેક લાગણીઓ જ આપણાં જીવનનો માર્ગ થોડો મુશ્કેલ બનાવી મુકે  છે.. નહીતર આપણું જુવાન પણ સીધી-સચોટ દિશા તરફ લઇ જનારું કેમ ના હોત?

बच्चो की दुनिया  कितने बहेतरीन रंगों से भरी रंगीन होती है | दुनिया और समाज  की परवाह  किए  बिना मस्त मौला बनके सब जगह ख़ुशी, प्रेम सबकुछ तो ढूंढ़  लेते  है ये बच्चे. क्युकि  वो  दुनिया मे सभ्यता, संस्कार, संस्कृति या इज्ज़त और आबरू  का  दिखावा नहीं करना जानते… और शायद उनकी आवश्यकता भी नहीं होती है |

बच्चो की सबसे बड़ी चिंता होती है… उनका प्यारा सा कोई खिलौना टूट जाना … उसी तरह  किसके  साथ सारा दिन खेलेंगे.. .?  बगीचे की सैर  करने ले जाओ तो उनको लगता है जेसे सारा विश्व उन्होंने देख लिया इतनी ख़ुशी उनके चेहरे पर ज़लकती है | संगीत के सुरों का या शब्दों का भले पता न चले  लेकिन धुनों  को सुनकर  अपने  अलग  अंदाज़  में नाच  उठाना  कितना अच्छा लगता है | A , B , C , D  या  क, ख, ग तो उनके लिए एक PUZZLE  GAME  होता है | पशु – पक्षिओ को उनके चाहिते नाम से पुकारते है तो बच्चो की आत्मीयता लगती  है | कुत्ते को कुकू, कबूतर को कबू और बिल्ली को म्याऊ कहेते कितना अपनापन नजर आता है |

बच्चे खुद ही रूठ जाते है.. और थोड़ी देर में जाने कुछ भी ना हुआ हो…एसे जल्दी से मान भी जाते है..उनके लिए कोई भी गैर नहीं है.. उनकी बातो से कोई गैर नहीं लगता… सबको देखने का नजरिया एक ही होता है |

नन्ही सी जान ये बच्चे छोटी छोटी बातो में भी अपनी जिद पूरी करते है तो उनको लगता है जैसे गोल्ड मेडल उन्होंने पा लिया… लेकिन उनकी ज़िद भी किसी को नुक्सान देह नहीं होती… बच्चो को हरदम एक ही ख्वाहिश रहेती है.. और वो है बड़े होने की… छोटी सी बात में भी वो बड़ा बनना चाहते है… मानो  उनका रात-दिन का बस एक ही स्वप्न हो…

सच में, बच्चो की दुनिया कितनी हसीं होती है.. चलो, अगर हम  अपना बचपन याद कर ले.. और अगर फिर से इसी बचपन में जेने के लिए बच्चो के साथ थोडा समय बिताये..और अपना बचपन वापस ले कर आए…|

જીવન એક અમૂલ્ય ભેટ છે, પરંતુ આ ભેટ જયારે અભિશાપ લાગવા માંડે ત્યારે ? આજે જીવન અતિશય ઝડપી અને યાંત્રિક થઇ ગયું છે. બસ, યંત્રની જેમ દરરોજ રાત્રે ઊંઘ કરી ચાર્જ થઇ જવાનું અને ફરી પાછા દિવસ દરમિયાન એ જ ઝડપે કામે લાગી જવાનું. દિવસ દરમિયાન જીવન જીવવાનો લાગતો આ ડર કેવો વિચિત્ર અનુભવ છે! હા, રસ્તા પર ચાલીએ  કે વાહન ચલાવતા અકસ્માતનો ડર, બહારગામ મુસાફરી કે અન્ય શહેરોમાં રહેવામાં બોમ-બ્લાસ્ટનો ડર . અરે..! ક્યારેક તો સ્વયંને સચોટ સાબિત કરવા માટે લાગતો ડર, તો ક્યાંક પતિ-પત્નીને લગ્નજીવનનો ડર, માતા-પિતાને સંતાનના ઉજવળ ભવિષ્યનો ડર. બહારના ખાન-પાનમાં બીમારીનો ડર.. બસ, આ બધામાંથી સ્વયંને પણ સ્વયંથી લાગતો ડર… લાગે છે જીવન જીવવાનો ડર……

આજે જીવન કોઈ જગ્યાએ જીવંત અને સલામતી ભર્યું રહ્યું નથી. આપણાં જીવનમાં દરેક બાબતે “ડર” એટલો સાહજિક થઇ ગયો છે કે ડગલે ને પગલે આપને અસંખ્ય ડરથી ઘેરાય ગયા છીએ અને આ ડરના કારણે જ આપણી માનસિકતા ખતમ થવા લાગી છે. વિનાકારણ ગુસ્સો, કંટાળો, નિરાશા, ઉદ્વેગ આ બધું જ ઘેરવા લાવે  છે. આજે સુખ અને શાંતિથી કોઈ ડર રાખ્યા વગર જીવન જીવનાર કોઈ વ્યક્તિ રહ્યું નથી. જીવનને એક અમૂલ્ય ભેટ માનનાર કોઈ વ્યક્તિ, સમાજ કે વિશ્વ આ ડરથી બાકાત નથી. દરેકને સતાવે છે જીવન જીવવાનો ડર…

ભવિષ્યની ચિંતાઓ, વર્તમાનનું વલણ અને ભૂતકાળના ભયસ્થાનો દરેકના જીવનમાં વહેતા રહે છે. આપણે ભલે આધ્યાત્મિકતાની વાતો કરીએ પણ તે માત્ર થોડા સમય પુરતું જ રહે છે… પરંતુ ફરી પાછા એ જ યંત્રવત જીવન જીવવા લાગીએ છીએ.  આપણે પણ જાણીએ છીએ કે વ્યવહારિક જીવનમાં આધ્યાત્મિકતા વિચારમાત્ર રહી જાય છે. શું આપણે બોમ્બ વિસ્ફોટ વખતે કે કોઈ અકસ્માત વખતે આધ્યાત્મિક વિચારો કરી શકીશું? નહિ ને ! એ શક્ય જ નથી લાગતું..

સુખ અને શાંતિ કોને ગમતી ના હોય ? પરંતુ ઘટના કે સંજોગ જ એવા બની જાય, તો જીવનમાં યંત્ર બની જ જવું પડે છે. શું નોકરીમાં ઉપરી અધિકારીને કોઈ વ્યક્તિ આધ્યાત્મિકતાના વિચારો વર્ણવી નોકરી બચાવી શકશે ? કે પછી ફિલ્મોની માફક આકર્ષક સંવાદો બોલી પતિ-પત્ની પોતાનું લગ્નજીવન બચાવી શકશે? જયારે જીવનમાં કોઈ ડર રહેતો નથી અને કોઈ ઈચ્છા જ રહેતી નથી ત્યારે કદાચ આવી વાતો અને વિચારો સહજ લાગે.. પરંતુ કદાચ આપણા માટે આ વાત શક્ય નથી. આ બધા ડરમાં પણ જીવન જીવવાની અલગ મજા છે.

જીવનમાં લાગતો આ ડર એક ભાગ સ્વરૂપ હોય શકે. બરોબર ને ! ભલે હસતા કે રડતા આ ડરને જીરવવો જ પડે છે અને આ તો જીવનનો એક ભાગ છે. તેમ છતાં આપણી ઈચ્છાઓ એટલી બધી પ્રબળ થઈ જાય છે કે ક્યારેક આપણને પણ સમજાતું નથી કે આપણે ખરેખર શું મેળવવું છે અને આજ ઈચ્છાઓ – અપેક્ષાઓ આપણને ડરની વધુ નજીક લઇ જાય છે. તો પછી આપણે જીવનમાં શા માટે આટલા બધા ડરથી ડરીએ છીએ. ડરથી ડરવાથી સમસ્યાનો ઉકેલ મળી શકતો નથી કે જીવન સરળ પણ બની જતું નથી. પરંતુ ડરને જીવનનો એક ભાગ માની એ બનાવ કે ઘટનાને કાળક્રમે ભૂલી જવો જ હિતાવહ છે. ડરનો હિંમતભેર સામનો કરવાનો છે. દરેક દિવસો એકસરખા રહેવાના નથી ક્યારેક ડરનું વાતાવરણ હશે તો ક્યારેક સુખમય દિવસો… તો પછી જીવન જીવવાનો ડર શાનો…?

दियो से प्रगटे मनमे सच्चाई,  कि आई शुभ दीपावली….

ख़ुशी बाटिये जैसे मिठाई,  कि आई शुभ दीपावली….

मनभर रंगों से रंगोली है सजाई, कि आई शुभ दीपावली….

हरतरफ रौशनी है जगमगाई, कि आई शुभ दीपावली….

दिलो में आस्था और भक्ति है समाई, कि आई शुभ दीपावली….

सबको शुभकामनाए और बधाई, कि आई शुभ दीपावली….

દિપ પ્રગટાવી અંતરમાં કરીએ ઉજાસ,

રંગોળીના રંગો રૂપી લાગણીઓ કરે નિવાસ..

 

તોરણો બાંધીએ જીવનમાં લાવીએ સુવાસ,

રોશની ઝગ્માંગાવીએ ફેલાવીએ  પ્રકાશ…

 

મીઠાઈ આરોગીએ  વાણીમાં લાવીએ મીઠાશ,

શુભકામનાઓ પાઠવીએ દુર કરીએ કડવાશ…

 

ધનતેરસમાં ધન વધે  સરેરાશ,

કાળીચૌદસે  દુર  થાય  કંકાશ…

 

દિવાળીએ  પૂજનમાં ના રહે કોઈ અવકાશ,

નૂતન વર્ષે સંકલ્પ કરીએ કઈ ખાસ…

 

ભાઈબીજ ભાઈ-બહેનના સ્નેહનો છે શ્વાસ,

પાંચ દિવસ ઉત્સવમાં કરીએ આનદ અને ઉલ્લાસ..

સંજોગ

જીવનમાં જે બધું સર્જાય છે,
સંજોગ બની જાય છે.

નિર્દોષ સમય કસોટી કરી જાય છે,
અને સંજોગ બની જાય છે.

સમજણના અભાવે સંબંધો તૂટી જાય છે,
અને સંજોગ બની જાય છે.

પ્રેમીઓ એકમેકના થઇ છુટ્ટા પડી જાય છે,
અને સંજોગ બની જાય છે.

મોટા થઇ સંતાન બધા વિખુટા પડી જાય છે,
અને સંજોગ બની જાય છે.

અણધાર્યા બનાવો પ્રશ્ન કરી જાય છે ,
સંજોગ બની જાય છે.

જુદા થવા છતાં વિખુટા ના પડ્યા,

મિત્રતા નિભાવી સદા સાથે રહ્યા.

 

વીતેલા સંસ્મરણો ભલે યાદ ના કર્યા,

પ્રત્યયાનથી એકબીજાના દુઃખોમાં વહ્યા.

 

સંજોગોથી ભલે અમે ભેગા ના થયા,

પણ દિલથી એક્બીજાને દૂર ના કર્યા.

 

ઘણા સંબંધો સમયાંતરે  તૂટી ગયા,

માત્ર  મૈત્રી સંબંધો  અકબંધ રહ્યા…

 

સ્વયંને ઓળખીએ !

ભલે એક બીજાને ગમતા રહીએ,

ક્યારેક સ્વયંને પણ ગમીએ.

 

ભાર દુનિયાનો લઈ શું કરીએ?

જયારે સ્વયંથી તૃપ્ત થઈએ.

 

દાવ દલીલોના શું રમીએ?

પહેલા સ્વયં તો નમીએ.

 

ગીત બીજાના શું ગાઈએ?

વિચારો સ્વયંના તો રાખીએ.

 

સમાજમાં પરિવર્તન શું ઝંખીએ?

પરંપરાઓથી સ્વયંને તો ના ડંખીએ.

 

લક્ષ્ય જીવનના શું માપીએ?

સફળતાનો શ્રેય સ્વયંને તો આપીએ.

खुदा कहेता है इंसानों को …

धरती बाटी – मुल्क बाटा,

मत बाटो इंसानों  को

ये जात -पात कहा  से आया,

खुदा कहेता है इंसानों को …

 

मैंने दिल और धड़कन बनाया..

और तुमने मंदिर – मस्जिद बनाया..

मुझे दिलो से निकला  और वहा पे बिठाया..

खुदा कहेता है इंसानों को …

 

दिलो में प्यार बनाया…

खुशिओ से भरा जीवन बनाया…

लेकिन बुरी  आदते या चीज़ नहीं सिखाई..

खुदा कहेता है इंसानों को …

 

अफ़सोस नहीं हैरानी है

इंसानों को इतना क्यों समजदार बनाया..

मुझे सुक्रिया तो दूर कोसते है जीवनभर

खुदा कहेता है इंसानों को …

by Vagbhi Pathak on Saturday, October 22, 2011 at 12:40pm

રિવાજ તારણ કે કારણનું વિજ્ઞાન…

કે પછી રિવાજના નામે સમાજને દેખાડો …?

લગ્ન  હોય કે મૃત્યુ મનુષ્ય માટે દરેક પાસા  સામાન્ય કરતા કંઈક વિશેષ છે…

જો વિજ્ઞાનની રીતે જોઈએ તો દરેક રિવાજ પાછળ કોઈ ને કોઈ તારણ અને કારણ જવાબદાર છે..

એમાં જન્મ, લગ્ન અને મૃત્યુ આ ત્રણ વધુ મહત્વના બની જાય છે… આપણા વડીલો અને સમાજ રિવાજ છે એમ કહી અને બધી જ વિધિઓ કરાવે  છે.. પણ તેની પાછળ કંઈક તો લોગિક હોવું જોઈએ ખરું ને.. !

ગર્ભાવસ્થા દરમિયાન સીમંતનો પ્રસંગ  થાય છે.. હું માનું છુ ત્યાં સુધી કદાચ આવનાર બાળકના જન્મ પહેલાનો ઉત્સવ કે જેનાથી આવનાર બાળક માતાના ગર્ભમાં જ ખુશીઓ અને આનંદનો અભાસ કરી શકે..આપણે જેને રાખડી અને રક્ષા કહીએ છીએ કદાચ એનો હેતુ માતા અને બાળકની રક્ષા એટલે કે અમુક ખાસ ધાતુથી બનેલી હોવાથી શક્તિ અને શાંતિ પ્રદાન કરતુ હશે..

લગ્નમાં સૌથી દર્દનાક અને લાગણી સભર રિવાજ “કન્યાદાન” …સમાજ કહે છે કે કન્યાદાન સૌથી મહાદાન છે… હવે કારણ અને તારણ.. વિચારી જુઓ.. ૨૦ વર્ષ માટે નાણાં  પુંજી ભેગી કરી હોય અને એકએક કોઈ અજાણ્યા વ્યક્તિને સોપવી પડે તો શું થાય..? તો પછી આ તો કાળજાનો કટકો છે.. ૨૦ વર્ષ જેનો છોડની જેમ ઉછેર કર્યો.. સિંચન કર્યું.. અને હૃદયમાં વસવાટ કર્યો.. બસ  એક જ ઝાટકે કોઈ અજાણ્યા વ્યક્તિને સોપી દેતા કયા માં-બાપનો જીવ ચાલે..? તેમ છતાં આમ કરવાનું છે.. એટલે કદાચ કન્યાદાન એ મહાદાન છે.. પણ આપને રિવાજ છે અને કહેવાય છે..એમ માની અને મૂંગા મોઢે રીવાજો નિભાવ્યા કરીએ છીએ.. એવું પણ નથી કે બધા પાછળ તારણો અને કારણો શોધવા પડે.. આતો રિવાજના નામે ઠોકી બેસાડતી  ફરજીયાત વિધિઓ અને વ્યવહ્રોનું વિશ્લેષણ કરવું તેટલું જ જરૂરી બની જાય છે..

જીવનનો અંતિમ સમય મૃત્યુ… મૃત્યુ સમયે સ્વજનોને જાણ કરવામાં આવે છે..ઘરના સભ્યો, કુટુંબીઓ, સ્વજનો  એકઠા થાય છે… દુઃખ હળવું કરવા.. ઘરના સભ્યોને સાત્વના આપવા.. પણ હવે આ રિવાજ દેખાવ બની ગયો છે… ઈચ્છા હોય કે ના હોય સમાજને દેખાડવા માટે જવું પડે… રિવાજ છે.. ખરાબ લાગે… આપણી પાછળ કોણ આવશે.. એવા વાક્યો સંભાળવા મળે..

હવે વિજ્ઞાનથી  અલગ દેખાવની વાત.. આજે દરેક પ્રસંગો દેખાવ માત્ર  બની ગયા છે..

પહેલા તો લગ્નમાં જ મંડપો બંધાતા, કેટરર્સ રાખતા અને સંગીત કાર્યક્રમો થતા.. પણ હવે તો મૃત્યુ પાછળ પણ આ બધું થાય છે… લગ્ન હોય કે મૃત્યુ બધું સમાન બની ગયું છે… કારણ કે  સમાજમાં રિવાજના નામે દેખાડો કરવો છે.. facilityના નામે, આધુનિકતા નામે  દેખાડા શરૂ કરી સાચું મૂલ્ય ભૂલી બેઠા છે. લગ્નની જેમ મૃત્યુ માં પણ હવે વેશભૂષા  જોવા મળે છે. કોઈના મૃત્યુ પાછળ  લોકો મંત્રોચારના બદલે  ભજનો અને ગીતો સાંભળતા થયા છે.. અને લગ્નમાં  બસ ફોટો અને વીડિઓ પાછળ કોઈક વાર  ફેરા પણ રી-સુટ થાય છે..  તો પછી સપ્તપદી સંભાળવાની  કે સમજવાની વાત જ ક્યાં આવે..?

બીજી વાત એ પણ છે કે વધુ કરશો તો લોકો વેદિયા કહેશે અને ઓછું  કરશો તો લોકો આધુનિક કહેશે…

લગ્નમાં વધુ ઝાકઝમાળ અને વ્યવસ્થા હશે તો લોકો વખાણ ની સાથે વેદિયા  અને પુરાતનકાળના કહી હાસી ઉડાવશે.. અને સદી  એટલે કે આર્યસમાજની જેમ  લગ્ન થશે તો લોકો ગરીબ કે વધુ પડતા ફોરવર્ડ કહેશે…તેવું જ મૃત્યુ ના પ્રસંગમાં જોઈ લો… વર્ષે વરસી કરશે એટલે વેદિયા.. અને  મહિના દિવસ માં વરસી એટલે ફોરવર્ડ… તેમાં પણ કોઈનો સારો પ્રસંગ આવતો હોય તો flexible  decision ..વાહ આવા રિવાજ.. અને વાહ આવો સમાજ…

અત્યારનો સમાજ પહેલાની અવેજીમાં  આટલો સાક્ષર, સભ્ય અને માહિતીપ્રદ બન્યો છે પણ એનો શું મતલબ… રિવાજના નામે દેખાડો કરવાનો..?  ખરેખર, આજના  સંબંધો અને પ્રસંગો માત્ર formality  બની ગયા છે… કોઈના જન્મ સમયે ખુશી અને મૃત્યુ સમયે દુઃખ પ્રગટ કરવું હવે મુશેલ બનતું જાય છે..

રીવાજ…….તેની પાછળનું વિજ્ઞાન(કારણ અને તારણ)….અને રિવાજ ના નામે દેખાવ….. કેટલું યોગ્ય…?

Follow

Get every new post delivered to your Inbox.

Join 66 other followers